ટંકારા ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા જરૂરિયાતમંદોને ફ્રુટનું વિતરણ કરાયું

- text


ટંકારા : ટંકારા ભાજપ ટિમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘પર્યાવરણમાં વન અને ગરીબોને અન્ન’ સુત્ર સાર્થક કરી ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા ભાજપ સંગઠન ઉપપ્રમુખ અને કલ્યાણપર સરપંચ દિનેશભાઈ વાધરિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અવતરણ દિવસ નિમિત્તે ‘ગરીબને અન્ન અને પર્યાવરણ માટે વન’ના સુત્રને સાર્થક કરતા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદોને ફ્રુટનું વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવા અને શિક્ષિત સાથે સમાજ સેવાના ભેખધારી સરપંચ અને સંગઠન ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરિયા એ ટંકારા તાલુકાના તમામ લોકોની દુવિધા દુર થાય અને સગવડ સાથે સમાજ નિર્માણ કરવા શપથ લીધા હતા.

- text

આ તકે પક્ષ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ભાજપના ખ્યાતનામ હરેશભાઈ ધોડાસરા, રશિકભાઈ દલસાણિયા, ક્ષત્રિય સમાજના અગ્રણી રૂપસિંહ ઝાલા, પ્રભુભાઈ કામરીયા, કારૂભાઈ વાધરિયા, યુવા એડવોકેટ સંજય ભાગિયા, બિપીન પ્રજાપતિ સહિતના હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text