ખેત શ્રમિક મહિલાએ ઝેર ગટગટાવતા મોત

- text


માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામની ઘટનામાં મહિલાએ જામનગર સારવારમાં દમ તોડ્યો

માળીયા (મી.) : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેત મજૂરી કરતા મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા જામનગર સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે દશરથસિંહ જાડેજાની વાડીએ કામ કરતા જનકબેન મોહનભાઇ ભીલ (ઉ.વ.-૫૨) નામના મહિલાએ ગત તા.30 ઓગસ્ટના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા જામનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલે માળીયા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text