વાંકાનેરમાં પરણિત પ્રેમી અને યુવતીનો સજોડે આપઘાત

- text


ઘરેથી ચાલ્યા ગયા બાદ વરડુસર ગામની સીમમાં ગળેફાંસો ખાધો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામમાં ઘરેથી ભાગી ગયેલ પરણિત પ્રેમી અને યુવતીએ સજોડે ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

વરડુસર ગામની સીમમાં તળાવ પાસે ગઈકાલે તા. 1ના રોજ માનસીંગભાઇ દિનેશભાઇ સેટાણીયા (ઉ.વ. 25) અને શીલ્પાબેન મનસુખભાઇ સારલા (ઉ.વ. 22)ની ગળા ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવેલ હતી. આ બંને પ્રેમી-પંખીડાઓ ગત તા. 12 જુલાઈના રોજ પ્રેમસંબંધ હોવાથી ઘરેથી જતા રહેલ હતા. ત્યારબાદ બંનેએ કોઇ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બનાવની અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે આપઘાતના કારણ સહિતની આગળની તપાસ આદરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text