સાપ કરડતા શ્રમિકનું મોત 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં શ્રમિકને સાપ કરડતા મોત થયું હોવાનું સામે આવ્યું છે.

રાતાવીરડા ગામમાં દીયાન પેપરમીલની લેબર કોલોની ખાતે વૈદુ કોડાલુભાઇ રામૈયાભાઇ વામ્યુગડ (ઉ.વ. 44, રહે હાલ રાતાવીરડા દિયાન પેપરમીલ, મુળ રહે ગુડપેળા, ગોદાવરી, વેસ્ટ આંધ્રપ્રદેશ) ગઈકાલે તા. 13ના રોજ રાત્રીના સમયે સુતા હતા. દરમ્યાન તેને સાપ કરડતા બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ મૃતદેહનુ પી.એમ.રાજકોટ ફોરેન્સીક ખાતે કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધ કરી કાર્યવાહી કરી છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text