ટંકારાના હરબટીયાળી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

- text


વૃક્ષારોપણ અને રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ટંકારા : ટંકારાના વન વિભાગ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હરબટીયાળી ખાતે કરવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણ તથા ફોરેસ્ટ વિભાગ સાથે એફ્પો સંસ્થા ટંકારા દ્વારા દયાનંદ ચોક ખાતે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જીવ અને વનનો સમન્વય એટલે જીવન એટલે કે જીવનું અસ્તિત્વ પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. આથી, દર વર્ષે તા. 5 જુનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવે છે. કોરોનાના કપરાં કાળે માનવીના જીવનચક્ર માટે પર્યાવરણ અને પ્રાણવાયુ અમૂલ્ય છે, તે સમજાવ્યા પછી આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક બની છે.

જે નિમિત્તે ટંકારા વનવિભાગ અને સામાજિક વનિકરણ વિભાગ-રાજકોટ દ્વારા હરબટીયાળી આરોગ્ય કેન્દ્ર ખાતે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ જૈવ વિવિધતા અને BCI પ્રોજેક્ટ અંતર્ગત એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલેટર સાથે રહી ફોરેસ્ટ વિભાગ દ્વારા ટંકારા શહેરમાં તુલસી, ઉમળો, અરડૂસી, બિલ્લી સહીતના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. બે કલાક જેટલા ટૂંકા સમયમાં તમામ રોપાઓનું વિતરણ થઇ જતા નગરવાસીઓમાં રોપઉછેરની અવેરનેસ જોવા મળી હતી.

- text

આ તકે સામાજિક વનસંરક્ષક વિભાગ-રાજકોટ અને વનવિભાગ ટંકારાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. ટી. કુંડારીયા, એસ. આર. વાઘેલા, મેહુલભાઈ સંઘાણી, એ. એ. રાઉમા સહિતનો ફોરેસ્ટ વિભાગ હાજર રહ્યા હતા તેમજ એફ્પો સંસ્થાના પિ.યુ. મેનેજર ક્રિમપાલ દેત્રોજા, રાજન ગોગરા, જયેશભાઈ, સંદિપભાઈ, નિતાબેન ઉજવણીમા જોડાયા હતા.

- text