ટંકારામાં કાલે શનિવારે રોપાઓનું વિનામૂલ્યે વિતરણ

- text


ટંકારા : આવતીકાલે તા. 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ટંકારા શહેરમા વનવિભાગ દ્વારા વિનામૂલ્યે તુલસી, ઉમળો, અરડૂસી, બિલ્લીના છોડનું વિતરણ કરવામાં આવશે.

- text

ટંકારામાં આવતીકાલે 5 જુનને શનિવારે સવારે 9:30થી 10:30 સુધી દયાનંદ સરસ્વતી ચોક ખાતે વૃક્ષરથ ઉભો રહશે. ત્યારબાદ વૃક્ષરથ શહેરના રાજમાર્ગો પર ફરીને લોકોને વિનામૂલ્યે આપશે. તેમજ સામાજિક વનસંરક્ષક વિભાગ-રાજકોટ અને વનવિભાગ-ટંકારા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હરબટીયાળી આરોગ્ય કેન્દ્ર ખાતે કરાશે. તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુંડારીયાની યાદીમાં જણાવાયું હતું.

 

- text