ટંકારાના ઘુનડા (ખા.) ગામમા બહારના નાગરિકોને પ્રવેશબંધી

- text


ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે નિયમો જાહેર

ટંકારા : હાલમાં કોરોના વાયરસના લીધે પરિસ્થિતિ દિવસને દિવસે કથળતી જાય છે. આથી, ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામની ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે અને બહારથી આવતા નાગરિકોને પ્રવેશબંધી ફરવામાં આવી છે.

- text

આ ગાઇડલાઈન અનુસાર લોકોએ જરૂરી કામ વિના બહાર નીકળવું નહીં તેમજ બહારગામથી કોઈને આવવા દેવા નહીં. વૃદ્ધો અને બાળકોએ સ્વાસ્થ્ય ખાસ ધ્યાન રાખવું, જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું અને સાથે માસ્ક પહેરવું. કોઈપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો હોમ કવોરનટાઈન અથવા પ્રાથમિક શાળાના રૂમમાં કવોરનટાઈન થવાનું રહેશે, બહારગામથી આવતા લોકોને ગામમાં પ્રવેશ અપાશે નહીં, છતાં કોઈ ગામમાં પ્રવેશ કરશે તો ગ્રામ પંચાયત તેની સામે પગલાં લેશે.

આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જરૂર જણાય ત્યારે ગ્રામ પંચાયતનો મોબાઈલ નં. 98794 79186 પર સંપર્ક કરવાનો રહેશે.

- text