વાંકાનેર : ઝેરી દવા પીને સગીરાનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામેં રહેતી સગીરાએ ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાણેકપર ગામેં રહેતી સવીતાબેન પ્રેમસીંગ (ઉ.વ.૧૭) નામની સગીરા ગઈકાલે તા.૨૨ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળ ની તપાસ વકાનેર સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ એમ.આર ગામેતી ચાલવી રહ્યા છે.

- text