હળવદ : નિંદ્રાધીન સગીરાને ઝેરી જનાવરે ડંખ મારતા મોત

- text


હળવદ : હળવદના રાતાભેર ગામે આવેલ વાડી વિસ્તારમાં માતાપિતા સાથે સુતેલી સગીરાને ઝેરી જનાવરે ડંખ મારતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતી ઉર્મીલાબેન મનજીભાઇ કેરવાડીયા (ઉ.વ-16) નામની સગીરા ગઈકાલે તા.10 ના રોજ માતા-પીતા સાથે વાડીની ઓરડીમા સૂતી હતી. ત્યારે ઓરડીમા કોઇ ઝેરી જનાવર તેણીના જમણા હાથની આંગડીમા ડંખ દેતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text