મંગળવારે મોરબીમાં યોગનું રિફ્રેશર તાલીમ સત્ર

- text


 

મુખ્ય વક્તા તરીકે યોગ સેવક શીશપાલ યોગ સંવાદ સાધશે

મોરબી: આવતી કાલે મંગળવારને તારીખ 2 માર્ચના દિવસે બપોરે 02:30થી 6:00 વાગ્યા સુધી ટાઉનહોલ, મોરબી નગરપાલિકા પાસે, 12 વસંત પ્લોટ મેઇનરોડ, સરદાર નગર મોરબી ખાતે યોગ માટેના રિફ્રેશર તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગમય ગુજરાત અંતર્ગત આયોજિત આ યોગ તાલીમ સત્રમાં યોગ સેવક શીશપાલ (ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. યોગ ટ્રેનર બનવા માટે www.gsyb.in પર રજિસ્ટ્રેશન કરાવવા એક યાદીમાં જણાવાયું છે.

- text