મોરબી જિલ્લા ભાજપ પ્રભારી મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી નિધન

- text


 

 

મોરબી: મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી સારવાર દરમ્યાન નિધન થતા મોરબી જિલ્લા ભાજપ અને ખંભાળિયામાં શોક વ્યાપી ગયો છે.

- text

મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા તાજેતરમાં કોરોનાગ્રસ્ત થયા હતા. એમની સારવાર ચાલુ હતી એ દરમ્યાન તેઓનું નિધન થતા ખંભાળિયા, મોરબી ભારતીય જનતા પાર્ટીમાં શોક વ્યાપી ગયો છે. મેઘજીભાઈ સતવારા સમાજના મોટા ગજાના આગેવાન હોય સમાજે મોભી ગુમાવ્યો હોય એવું દુઃખ સતવારા સમાજે વ્યક્ત કર્યું હતું. અત્રે નોંધનીય છે કે હજુ ગઈકાલે જ કોરોના વેકસિનેશન કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે, “ઘણા સાથીદારો કોરોના સંક્રમિત થયા બાદ ઘેર પરત નથી ફર્યા”, એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા.

- text