મોરબી : જેલમાંથી પેરોલ પર છૂટીને આવેલા પતિએ પત્ની પર શંકા કરીને માર માર્યો

- text


પત્નીએ તેના પતિ વિરુદ્ધ માર માર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં જેલમાંથી પેરોલ પર છૂટીને ઘરે આવેલા પતિએ પત્ની પર ખોટી શંકા વહેમ કરીને તેણીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પત્નીએ તેના પતિ વિરુદ્ધ માર માર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે પતિ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારમારીના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આવેલ કઝારીયા સેનીટરીવેર્સ કારખાનામા રહેતા ચંદ્રીકાબેન ઝાલાભાઇ ઇંદરીયા (ઉવ-૨૮) એ તેમના પતિ ઝાલાભાઇ રામજીભાઇ ઇંદરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીએ જેલમાથી પેરોલ પર છુટીને આવીને ફરીયાદી પત્નિ પર વારંવાર શંકા વહેમ કરતા હોય જેથી ફરીયાદીને ગત તા.૧૦ ના રોજ સાંજના પાંચ-સાડા પાંચ વાગ્યે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે રસ્તે રીક્ષામાથી ઉતારીને ઢીકાપાટુનો માર મારીને બેફામ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપીને લાકડી વડે ફરીયાદીના પગમા માર મારતા ઇજા પહોંચી હતી.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

- text