મોરબી : ઘાયલ પક્ષીઓ અંગે કર્તવ્ય જીવદયા કેન્દ્રની હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અપીલ

- text


કેન્દ્ર દ્વારા ‘પક્ષી બચાવો અભિયાન’ હાથ ધરાશે

મોરબી : ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. દર વર્ષે પતંગ ચગાવવાની દોરીના લીધે પંખીઓને ઇજા થવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે પક્ષીઓનો જીવ બચાવવા માટે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન ‘પક્ષી બચાવો અભિયાન’ હાથ ધરાશે. જે અંતર્ગત કેન્દ્ર દ્વારા હેલ્પલાઇન મો.નં. 75748 68886 અને મો.નં. 75748 85747 જાહેર કરવામાં આવ્યા છે. આથી, મોરબીમાં ક્યાંય પણ પતંગની દોરીથી ઘાયલ પક્ષી દેખાઈ તો તાત્કાલિક બર્ડ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text