- text
યુવતીને ભગાડી ગયાને એક મહિનો થઈ ગયો હોય પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ
વાંકાનેર : વાંકાનેરમાં હિન્દૂ યુવતીને મુસ્લિમ યુબતી ભગાડી ગયાના બનાવને લવ જેહાદ ગણાવીને સરદાર પટેલ સેવાદળ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
સરદાર પટેલ સેવાદળ દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત અંર સમગ્ર ભારતમાં એક બદઇરાદાવાળી વિચારધારાને લોકો લવજેહાદના નામે ઓળખતા થયા છે. આ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ તેમના આકાઓના માર્ગદર્શન હેઠળ હિન્દૂની દીકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે. અને તેમનો દૂરઉપયોગ કરે છે.
- text
વધુમાં જણાવાયું છે કે આવો જ કિસ્સો વાંકાનેરમાં બન્યો છે. હિન્દૂ પરિવારની એક દીકરીને સોહેબ નામનો યુવાન બદઈરાદાથી ભગાડીને લઈ ગયો છે. તેને એક મહિનો પૂર્ણ થવા આવ્યો હોય પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં કોઈ પરિણામ આવેલ નથી. માટે આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.
- text