વાંકાનેરમાં ઉછીના પૈસા અને મકાન-દુકાનના કબ્જા મામલે મારામારી

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઉછીના પૈસા અને મકાન-દુકાનના કબ્જા મામલે મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કરી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર મહાવીર જીન સામે રહેતા બાકીરઅલી તાહેરઅલી લાકડાવાળા (ઉ.વ. 64)એ વસીમ બાપુડી, ફકીરનો છોકરો, સુનીલભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે રાજકોટના પરીન હર્ષદભાઈ પટેલ પાસેથી પૈસા લીધા હતા. જેની સિક્યુરિટી પેટે તેમણે મકાન-દુકાનનો સાટાખત કરી આપેલ હતી. પરંતુ ફરિયાદી મકાનનો કબ્જો અને ઉછીના પૈસા પાછા આપી શકતા નહતા. આથી, આરોપીઓએ તેમના મકાને આવી તેમના પુત્ર મુસ્તુફાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓએ મકાન, બાઇક, કેમેરા તથા કારમાં તોડફોડ કરી હતી. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text

- text