લવ જેહાદને અટકાવવા હિન્દૂ એકટ લાવવાની માંગ સાથે કલેકટરને આવેદન

- text


એકતા એ જ લક્ષ્ય સંગઠને આવેદનપત્ર પાઠવ્યું

- text

મોરબી : દેશભરમાં વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીઓ અને મહિલાઓને ભોળવી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી લવજેહાદ ફેલાવતું હોવાની ફરિયાદ અવાર નવાર ઊઠતી હોય છે. ત્યારે આવી ઘટનાઓ અટકાવવા કાયદો લાવવા માંગણીઓ ઉઠી રહી છે. ત્યારે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભગિરથસિંહ રાઠોડની આગેવાનીમાં કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને લવજેહાદને અટકાવવા હિન્દૂ એકટ લાવવા માંગણી કરી હતી. આ અંગે ઉત્તરપ્રદેશ અને હરિયાણા સરકાર વિચારધીન હોય જેથી ગુજરાત સરકાર પણ લવજેહાદ નાબુંદ કરવા કડક પગલાં ભરે અને વહેલી તકે હિન્દૂ એકટ લાવે તેવી એકતા એજ લક્ષ સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે

- text