મોરબી : યુવા અગ્રણી અજય લોરિયા કોરોના પોઝીટીવ, સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખવા અપીલ

- text


હાલ અજયભાઈ ફાર્મ હાઉસ ખાતે હોમ આઈસોલેશનમાં હોવાની અને તબિયત સ્થિર હોવાની માહિતી

મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી અજયભાઈ લોરિયાને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ હાલ ફાર્મ હાઉસ ખાતે હોમ આઈસોલેશનમાં હોવાની અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અજય લોરીયાએ તેમના સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે.

મોરબીમાં ઔદ્યોગિક ક્ષેત્રે અને સેવાકીય પ્રવૃતિઓમાં જેઓનું નામ અગ્રેસર હોય છે તેવા અજયભાઈ લોરિયા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જો કે હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અને તેમના ફાર્મ હાઉસ ખાતે હોમ ક્વોરેન્ટાઇન થયા છે. ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યોગપતિ અજયભાઇએ લોકડાઉન દરમિયાન અનેક દિવસો સુધી સતત રસોડું ચલાવી ગરીબોની સેવા કરી હતી. તેમજ તેઓએ દેશભરમાં ફરી પુલવામાં શહિદોના પરિવારોને આર્થિક સહાય કરી હતી. ત્યારે સેવાભાવી અજયભાઈને કોરોના થતા તેમના પરિવારજનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, મિત્રવર્તુળ તથા મોરબીવાસીઓ તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text