વાંકાનેરના તીથવા ગામે હોકળાના પાણીના પ્રવાહમાં તણાયેલી બે બાળાઓની લાશ મળી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક સીમમાં આવેલ હોકળાના પાણીના ધસમસતા વહેણમાં ગઈકાલે ચાર બાળાઓ તણાવા લાગ્યા બાદ બેનો બચાવ થયો હતો પરંતુ અન્ય બે બાળાઓ ધસમસતા પાણીના વહેંણમાં તણાઇ ગઈ હતી. દરમ્યાન આજે આ બન્ને હતભાગી બાળાઓની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીક કબ્રસ્તાનના રસ્તે આવેલ ભુતીયો હોકળા પાસે ગઈકાલે ચાર બાળાઓ ન્હાવા ગઈ હતી. એ દરમ્યાન અચાનક હોકળાના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાવા લાગતા ગ્રામલોકોએ ચારેયને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આ ચારમાંથી બે બાળાઓને પાણીના પ્રવાહમાંથી બચાવી લેવાની સફળતા મળી હતી. પણ અન્ય બે બાળાઓ પાણીના પ્રવાહમાં ગરક થઈ ગઈ હતી. આથી, ગ્રામજનોએ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીના પ્રવાહમાં તણાયેલી બે બાળાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આજે બનાવ સ્થળથી થોડે દૂર આ બંને બાળકીઓ શીતલ બહાદુર મોલેસલામ (ઉ.વ. 12) અને કીર્તિ રશીદ મોલેસલામ (ઉ.વ. 8) ના મૃતદેહ મળી આવ્યા હતા. આ કરુણ બનાવથી ભારે અરેરાટી મચી ગઇ છે.

- text