હળવદમાં વેપાર કરવા આવેલ મહિલા અમદાવાદ પરત ફરતી વખતે લાપત્તા

- text


હળવદ : અમદાવાદમાં ખોડિયારનગરમાં રહેતા વિનોદભાઈ ભાનુશંકર રાવલના પત્ની ધર્મીષ્ઠાબેન (ઉ.વ. 40) પોતાના કાકાના દીકરી, જે હળવદના ભવાનીનગરમાં રહેતા હોય, તેમને ત્યાં અમદાવાદથી સાડી બ્લાઉજનો વેપાર કરવા આવેલ હતા. બાદમાં ધર્મીષ્ઠાબેન ગત તા. 12ના રોજ સવારના સાડા દસ વાગ્યે હળવદથી અમદાવાદ જવા નિકળેલ હતા. પરંતુ તેઓ અમદાવાદ પોતાના ઘરે પહોંચ્યા નહતા.

- text

આથી, ધર્મિષ્ઠાબેનના પતિ વિનોદભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુમસુદાની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે ધર્મિષ્ઠાબેને ધોરણ ૯ સુધી અભ્યાસ કરેલ છે તથા ઉચાઈ આશરે ૫.૩ તેમજ વાને ઘઉવર્ણ, બાંધો મધ્યમ ધરાવે છે. જેઓએ પંજાબી ડ્રેસ વાદળી કલરનો પહેરેલ છે અને આંખે ચશ્મા પહેરે છે.

- text