મહેન્દ્રપુર પ્રાથમિક શાળાની છાત્રા જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉતીર્ણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના મહેન્દ્રપુર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરતી સોલંકી સૃષ્ટી હરેશભાઇ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં કોઇપણ પ્રકારના કોચીંગ ક્લાસ વગર શાળાના આચાર્ય નિમાવત ભરતકુમાર તેમજ શિક્ષકો નારિયાણા શાંતિલાલ નાનજીભાઇ, રતનપરા ગોદાવરીબેન અને ભટ્ટાસણા શશિકાંતના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરેલ છે. જવાહર નવોદય પરીક્ષામાં ઉતિર્ણ થવાથી મહેન્દ્રપુર પ્રાથમિક શાળા તથા ગામ અને પરીવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર દ્વારા સુષ્ટિને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text