- text
મોરબી : લખધીરનગર-નવાગામના બરાસરા પરિવારના કુળદેવી સીંધોઈ માતાના પાટોત્સવની ઉજવણી અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે. આગામી તા. 23 જૂનના રોજ યોજાનાર છઠ્ઠો પાટોત્સવ કોરોના મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર મોકૂફ રાખવામાં આવેલ છે. જેની બરાસરા પરિવાર (કડવા પાટીદાર)એ નોંધ લેવા આયોજકોએ જણાવેલ છે.
- text