વાંકાનેર : કપાતર પુત્રો અને પુત્રવધુઓએ માતાને ઘરમાંથી કાઢી મૂકી ધમકી આપી

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘોર કળીયુગને ચિતાર આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કપાતર પુત્રો અને પુત્રવધુઓએ વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ખતીજાબેન ગનીભાઇ પરમાર (ઉ.વ ૭૦, રહે.વાંકાનેર વેલનાથપરા, ભારત ઓઇલમીલ પાછળ) વાળાએ તેમના પુત્રો હનીફભાઇ ગનીભાઇ પરમાર, આરીફભાઇ ગનીભાઇ પરમાર, પુત્રવધુઓ મદીનાબેન હનીફભાઇ પરમાર, સલમાબેન આરીફભાઇ પરમાર (રહે બધા વાંકાનેર, વેલનાથપરા, ભારત ઓઇલમીલ પાછળ) વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૨ના રોજ વાંકાનેર વેલનાથપરા ભારત ઓઇલમીલ પાછળ બનેલા બનાવ મુજબ આરોપીઓ ફરિયાદીના દિકરાઓ હોય બન્ને આરોપીઓએ ફરિયાદીને ઘરેથી કાઢી મુકેલ હોય, ફરિયાદીએ આરોપીઓને પોતાના મકાનમા રહેવા દેવા કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text