ટંકારા : સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા મામલે રોજગારવાંચ્છુક યુવાનોનું આવેદન

- text


ટંકારા : રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં ભરતીની પ્રક્રિયા સ્થગિત કરી દેવાના પરીપત્રના વિરોધમાં ટંકારાના ઉમેદવારો અને વાલીઓએ મામલતદરને આવેદનપત્ર આપી યુવાનોની વેદના સરકાર સુધી પહોંચાડીને આ બાબતે તાત્કાલિક ન્યાય આપવા માંગ કરી હતી.

- text

ટંકારા તાલુકાના નવ યુવાનો, વિધાર્થીઓ અને વાલીઓ આજે મામલતદાર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવેલ ભરતી પ્રક્રિયા અંગે લેખીત આંકડા સાથે આવેદન પત્ર પાઠવી સરકારના જી.આર.ની આટીધુટી ઉકેલી યુવાનોના હિતમાં નિર્ણય લેવા અપીલ કરી હતી. આ તકે નાયબ મામલતદાર એમ. જે. પટેલને આવેદન આપવા અતુલ ઢેઢી, પ્રહલાદ ચૌધરી, ધવલ ગઢવી, વિપુલ કુઢીયા, જનકસિંહ ઝાલા, ભુપત મુછાળા, રતિલાલ સંધાણી અને ગંગારામ સંધાણી હાજર રહ્યા હતા.

- text