મોરબી : કાંતિનગરના યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના કાંતિનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર આજે સવારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાંતિનગરમાં રહેતા કરીમભાઈ ખમીશાભાઈ ઉ.વ.40 નામના યુવાને આજે સવારે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને યુવાનને કયા કરણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text