- text
મોરબી : લપસી જવાથી કેનાલમાં પડી જતા ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રીલોક સીરામીકની ઓરડીમા રહેતા છોટેઅલી ઇસ્માઇલઅલી ફકીર ઉ.વ.૧૮ નામનો યુવાન ગઈકાલ તા-૨ના રોજ રાત્રીના સમયે લખધીરપુર રોડ ઉપર નીકળતી નર્મદા કેનાલ પાસે લેટરીન જવા ગયો હતો. ત્યારે તેનો પગ લપસી જતા ચાલતી કેનાલમા પડી જતા ડુબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ મોરબીમાં ખસેડાઇ હતી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text