ટંકારા : આર્ય સમાજ દ્વારા ડેન્ગ્યુને નાથવા રવિવારે આયુર્વેદિક યજ્ઞ

- text


ટંકારા : આર્ય સમાજ, ત્રણ હાટડી – ટંકારા દ્વારા ડેન્ગ્યુ તાવને જડમુળથી નાશ કરતો આયુર્વેદિક યજ્ઞ ચિકિત્સા શિબિર રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતી વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાશે.

ડેન્ગ્યુના વધતા જતા કેસો સામે આરોગ્ય તંત્ર નિષ્ક્રિય સાબીત થયુ હોય એમ અનેક દર્દી ખાટલાના બિછાને પડ્યા છે. ત્યારે આર્ય સમાજ દ્વારા તાવના રોગ સામે બાથ ભરવા તાવના દર્દીને યજ્ઞમાં બેસાડી તેની યજ્ઞ ચિકિત્સા, ઔષધિ પાનનું પ્રશિક્ષણ આર્યસમાજ દ્વારા અપાશે. જેના કારણે ભવિષ્યમાં કોઈ બીમારી વખતે આયુર્વેદિક યજ્ઞ ચિકિત્સા પધ્ધતિનો પ્રયોગ પોતાની જાતે કરી નાના-મોટા રોગોનું નિવારણ કરી શકે. આ માટે આગામી રવિવારે તારીખ ૧૦ નવેમ્બરના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતી વિવિધલક્ષી વિદ્યાલય, માર્કેટ ચોક ખાતે સવારે ૬ વાગ્યેથી યજ્ઞ શરૂ કરવામા આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે દર્દીએ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. નામની નોંધણી શનિવાર સુધીમાં કરાવી શકાશે. દર્દીને સ્નાન કરી પવિત્ર થઈને યજ્ઞમા સમયસર આવવાનું અને મોબાઈલ સાથે ન રાખવા આયોજકોએ જણાવ્યું છે.

- text

યજ્ઞકર્તા શાસ્ત્રી (પંડિતજી, જૂના આર્ય સમાજ) વૈદ્ય દયાલજી આર્ય પરમાર છે. રજીસ્ટ્રેશન માટે વૈદ્ય અમિતા કોરીંગા – ૯૭૨૬૯ ૨૧૧૦૧, વૈદ્ય વિરેન પટેલ – ૯૨૬૫૫ ૭૩૬૭૩, વૈદ્ય હિતેશ ઘેટિયા – ૯૭૨૭૧ ૧૨૭૧૨ અથવા દેવજી પડસુબીયા – ૯૯૭૯૩ ૫૫૧૯૧ પર સંપર્ક કરી શકો છો. શિબિર દરમિયાન ઉકાળા વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

- text