ગારીડા ગામે તળાવમાંથી પુરુષની લાશ મળી, હત્યાની આશંકા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારિડા ગામ પાસે તળાવના કાંઠે પાણીમાંથી એક પુરુષની લાશ મળી આવી હતી. પુરુષની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગારીડા ગામ પાસે આવેલ ઓરપેટના તળાવમાંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. પુરુષે સફેદ રંગનો કોફી ચેક્સવાળો શર્ટ અને કોફી કલરનું પેન્ટ તેમજ પગમાં ચપલ પહેરેલ છે. લોકોએ તળાવમાં લાશને ઊંધા માથે પડેલી જોઇ હતી. આ બનાવની ગામના સરપંચ હુસેનભાઇ માથકીયાને જાણ થતા સરપંચ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફોનથી જાણ કરી હતી. આ જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તથા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


- text