મેઘપરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન

- text


માળીયા (મી.) : મોરબીના ભારત વિકાસ પરિષદ દ્વારા મેઘપર ગામમાં સ્વ. નીરજભાઈ વિનોદભાઈ મકવાણાના સ્મરણાર્થે ત્રિવિધ પ્રકલ્પો – ‘નીરજ સરોવર’નું ખાતમુહૂર્ત, બ્લડ ડોનેશન કેમ્પ તથા નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન આગામી તા. 13 ઓક્ટો.ના રોજ કરવામાં આવ્યું છે.કેમ્પમાં IMAના તજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પમાં દરેક રોગોનું નિદાન – સારવાર, બ્લડ ગ્રુપિંગ, બ્લડ સુગરની તપાસ તથા દવા નિ:શુલ્ક આપવામાં આવશે. આ કેમ્પ સવારે 9-00થી 12-30 સુધી મેઘપર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત, ‘નીરજ સરોવર’નું ખાતમુહૂર્ત વવાણીયા ધામના મહંત જગન્નાથ બાપુના હસ્તે સવારે 8 વાગ્યે ‘નીરજ સરોવર’, સુલ્તાનપીરની બાજુમાં, મેઘપર ખાતે કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમોનો લાભ લેવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text