વાંકાનેરના ગારીડા ગામ પાસે વાહનની ઠોકરે દિપડાનું મોત

- text


 

વાંકાનેર : વાંકાનેરના ગારીડા ગામના બોર્ડ પાસે આવેલ મોગલ માતાજીના મંદિર પાસે દિપડાનું કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે એકસીડન્ટ થતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામના બોર્ડ પાસે આઈ શ્રી મોગલ માતાજીના મંદિરની બાજુમાં દિપડો કોઈ અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દીપડા સાથે જે વાહન નો અકસ્માત થયેલ તેમને પણ ઇજા થયેલ હોય તે લોકોને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરેલ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં આવેલ રામપરા સેન્ચ્યુરી વિસ્તારની આસપાસમાં પવનચક્કીઓ ઉભી થઈ રહી છે જેના કારણે જંગલી પશુઓ સેન્ચ્યુરી વિસ્તાર છોડી બહાર તરફ પ્રયાણ કરી રહ્યા છે જે અંગેનો અહેવાલ મોરબી અપડેટમાં એક મહિના પહેલા પ્રકાશિત કરવામાં આવેલ તેમ છતાં જંગલી પશુઓ પ્રત્યે કોઈ મનાવતા દાખવવામાં આવતી નથી અને મુંગા અબોલ જીવો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

- text