ટંકારા : લખઘીરગઢના કકાસણીયા પરિવાર દ્વારા માતૃશ્રીના સ્મરણાર્થે પાંજરાપોળને ૫૧ હજારનું દાન

- text


બેસણામા 1000 રોપાનું વિતરણ કરાયું : વૃક્ષોના ઉછેર માટે રૂ. 11 હજારનું અનુદાન પણ અપાયું

ટંકારા : ટંકારા તાલુકાના લખઘીરગઢ ગામના કકાસણીયા પરિવાર દ્વારા પોતાના માતૃશ્રી સ્વ. શાંતાબેન ભવાનભાઇ કકાસણીયા ઉ.વર્ષ ૯૭ના સ્વર્ગવાસ પ્રસંગે પાંજરાપોળના અબોલ જીવોના ઘાસચારા માટે રુપીયા ૫૧૦૦૦નું દાન તેમજ બેસણામાં ૧૦૦૦ વૃક્ષોના રોપા વિતરણ કરીને તેને ઉછેરવા ૧૧૦૦૦નું અલગ દાન કરેલ છે. વિરજીભાઇ ભવાનભાઇ, લવજીભાઇ ભવાનભાઇ, રમેશભાઈ ભવાનભાઇ તથા નરમેરામભાઇ ભવાનભાઇ દ્વારા પોતાના માતૃશ્રીના સ્વર્ગવાસ પ્રસંગે યોજાયેલ બેસણામાં સગા સંબઘીઓને વૃક્ષોના એક હજાર રોપાઓનું વિતરણ કરેલ કકાસણીયા પરીવાર દ્વારા ટંકારા પાંજરાપોળ અબોલ જીવોને સુકો ઘાસચારો, લીલો ચારો તેમજ ખોળ કપાસિયા પુરા પડાય છે .

- text

કકાસણીયા પરિવાર દ્વારા ટંકારા પાંજરાપોળને રૂપિયા ૫૧૦૦૦/નું દાન વ્યવસ્થાપક રમેશભાઈ ગાંઘી તથા દિલીપભાઈ પટેલને સુપ્રત કરેલ. આ ઉપરાંત, લખઘીરગઢ યુવક મંડળને વુક્ષારોપણ તેમજ વુક્ષો ઉછેરવા ૧૧૦૦૦ નું દાન આપેલ કકાસણીયા પરિવારે અબોલ જીવો માટે દાન કરી સમાજ જીવનમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડેલ છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text