મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભવન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી તા. 15 સપ્ટે.ને રવિવારના રોજ સાંજે 5 વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવશે. જેમાં સમાજના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના એલ.કે.જી.થી ધો. 8 સુધીના ઉચ્ચ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ તકે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે મહામંત્રી પંકજભાઈ સેજપાલે સમાજના લોકોને નિમંત્રણ પાઠવ્યું છે.

- text