મોરબીના રવાપર રોડ ઉપરની અનેક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસતા લોકો હેરાન

- text


સામાકાંઠે, નવલખી રોડ, કુબેરનગર, બાયપાસ સહિતના વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસતા તારાજી : પરસોતમ ચોક નજીક વૃક્ષ થયું ધરાશાયી

મોરબી : મોરબીમાં ગઈકાલે રવાપર રોડ ઉપરની અનેક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત પરસોતમ ચોક નજીક વૃક્ષ થયું ધરાશાયી થયું હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત સામાકાંઠે, નવલખી રોડ, કુબેરનગર, બાયપાસ સહિતના વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસતા તારાજી

- text

મોરબીમાં પાણીના નિકાલના વોકળા સાવ સાંકળા કરી નાખવામાં આવતા પાણીની પુરતી જાવક ન થતા ખેતરના પાણી કેનાલમાં આવ્યા હતા. અને કેનાલ છલકાઈને રવાપર રોડ પરની મધુરમ સોસાયટી, શારદા સોસાયટીમાંથી ગાયત્રી સોસાયટીમાં ઘરમાં ઘુસ્યા હતા. પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરીને ઘણું નુકશાન થયું હતું. ઉપરાંત રાતના સમયે લોકોને ખૂબ હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. આ ઉપરાંત બીજા એક બનાવમાં રવાપર રોડ ઉપર પરસોતમ ચોકમાં નાગરિક બેંકવાળી શેરીમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જયારે સામાકાંઠે, નવલખી રોડ, કુબેરનગર, બાયપાસ સહિતના વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસતા તારાજી થઈ હતી.

- text