- text
જૈસે મહમદના આંતકવાદી અડ્ડાઓનો સફાયો
મોરબી : પુલવામા આંતકી હુમલા બાર ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાના દાવો મુજબ આજે વહેલી સવારે એલઓસી પર જૈસે મહમદના આંતકી અડ્ડાઓ ઉપર પર ભારત દ્વારા ૧૦૦૦ કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારતીય સેના દ્વારા હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ભારતીય વાયુસેનાએ ૧૨ મિરાજ ફાઇટર પ્લેનની મદદથી આજે વહેલી સવારે ૩.૩૦ કલાકે હુમલો કર્યો હોવાનું અને આ હુમલાથી ઘણાં આતંકવાદી ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. ૧૨ મિરાજ વિમાનથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુમાં ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનો દ્વારા પાકિસ્તાન અંકુશમાં આવેલ કાશ્મીરના
બલકોટ, મુઝફ્ફરનાગર અને ચકોટી ખાતે આવેલ
આતંકી સંગઠન જૈશે એ મોહંમદના અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા હતા.
- text
- text