લાડકી દીકરીની પ્રથમ પુણ્યતિથિએ વિડજા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

- text


માળીયા મિયાણાના વિશાલનગરમા ૧૦ ઓક્ટોબરે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી : લાડકી દીકરીની પ્રથમ પુણ્યતિથિએ વિડજા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માળિયા તાલુકાના વિશાલનગર ( સુલતાનપુર) ગામે સ્વ.રાધિકાબેન અરવિંદભાઈ વિડજાની પ્રથમ પુણ્યતિથી નિમિતે આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ રક્તદાન કેમ્પનું આયોજન સ્વ.રાધિકાબેન અરવિંદભાઈ વિડજાની પ્રથમ પુણ્યતિથી નિમિતે વિડજા પરિવાર દ્વારા સમસ્ત ગામ, સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ અને સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું છે. આ રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. ૯૯૦૪૮ ૧૫૦૯૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text