મોરબીમાં ૧૭ મીએ ખુશીઓ કા ખજાના કાર્યક્રમ : રાજેશ્વરી મોદી આપશે માર્ગદર્શક પ્રવચન

- text


મોરબી : મોરબીના સાહેલી મહિલા સત્સંગ મંડળ દ્વારા આગામી ૧૭ મીએ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે જીવન ખુશીઓ કા ખજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નારી રત્ન એવોર્ડ વિજેતા રાજેશ્વરી મોદીના અનમોલ વચનો સાથે મહાસત્સંગ યોજાશે.

આગામી ૧૭મીએ સાંજે ૪ થી ૭ સુધી મોરબીના ટાઉન હોલમાં સાહેલી મહિલા સત્સંગ મંડળ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાનાર છે. મંડળ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ વાર નારી રત્ન એવોર્ડ વિજેતા રાજેશ્વરી મોદી (રાજદીદી)નો અનમોલ વચનો સાથેનો મહાસત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નારાયણ રેકી સત્સંગ પરિવાર (મુંબઈ)ના પ્રણેતા રાજદીદી જીવન ખુશીઓ કા ખજાના શિર્ષક હેઠળ જીવનની સફળતા, તનની સ્વસ્થતા, મનની શાંતિ, સર્વોત્તમ જીવન જીવવા માટે અખૂટ વિશ્વાસ અંગે માર્ગદર્શક પ્રવચન આપશે.

- text

કાર્યક્રમની વધુ વિગત માટે કલ્પનાબેન જોશી મો.નં. ૮૪૬૯૯ ૨૭૨૭૯ , ગુણવંતભાઈ જોશી મો.નં. ૯૮૨૫૦ ૫૪૯૯૬ અને મહેશભાઈ રાજ્યગુરુ મો.નં. ૯૭૨૬૮ ૧૩૪૧૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text