વડાપ્રધાન મોદીને દીર્ઘ આયુ માટે વિકાસ વિદ્યાલયની બાળાઓ પોસ્ટકાર્ડ લખ્યા

- text


જિલ્લા કલેકટર-ધારાસભ્ય અમૃતિયાની ઉપસ્થિતિમાં વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાયો

મોરબી : મોરબીના વિકાસ વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિકાસ વિદ્યાલયની બાળાઓએ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પોસ્ટકાર્ડ લખ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા મોરબીના વિકાસ વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહીતના લોકો હાજર રહ્યા હતા.
આ તકે વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે સાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે જે વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે વિકાસ વિદ્યાલયની ૧૨૫થી વધુ બાળાઓ દ્વારા વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.

- text