મોરબીનો લાપત્તા છાત્ર રાજકોટથી મળી આવ્યો

- text


સ્કૂલે ન ગયો હોવાની પરિવારને જાણ થઇ જતા ડરથી રાજકોટ ચાલ્યો ગયો હતો

- text

મોરબી : સરદાર બાગ નજીક રેહતા અને નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતા કાચા સાહિલ નામનો છાત્ર ગઈ કાલે બપોરે ઘરેથી સ્કુલ જવાનું કહી પોતના પ્લેઝર જી.જે.૩ બી.કયું ૬૯૨૪ પર નીકળ્યા બાદ ઘરે રાત સુધી પરત ન ફરતા તેના વાલીએ તેની શોધખોળ શરુ કરી પોલીસને જાણ કરી હતી. તેવામાં આ બનાવમાં મળતી વિગત મુજબ આજે સવારે લાપતા છાત્રનો તેના પરિવાર પર ફોન આવ્યો હતો કે તે રાજકોટ છે. જેથી પરિવારજનોએ આ અંગે પોલીસેને જાણ કરી હતી. અને પરિવારજનો બાળકને લેવા રવાના થયાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈ કાલે લાપત્તા થયેલો તરૂણ પોતે સ્કૂલે ગયો ન હોવાની પરિવારને જાણ થઇ જતા ડરથી રાજકોટ સબંધીના ઘરે ચાલ્યા ગયો હતો.

- text