મોરબી : આઈએમએનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા 100 જેટલા ડોક્ટરો ના ધરણા

- text


મોરબી આઈએમએનાં પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, મંત્રી ડો. અંજનાબેન ગઢીયા અને ડો. જયેશભાઈ સનારીયા દ્વારા મોરબી અપડેટને જણાવવામાં આવ્યું હતું કે, આઈએમએની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓના સંદર્ભમાં વારંવાર રજૂઆત કરવા છતા કોઈ જ હકારાત્મક પ્રતિભાવ ન મળતા આખા ભારતભરમાંથી આશરે ૬ હજાર કરતા વધુ ડોક્ટરો અને તબીબ વિદ્યાર્થીઓ તા. ૬ જુન મંગળવારના રોજ ‘ચાલો દિલ્હી’ કાર્યક્રમ હેઠળ રાજઘાટ નવી દિલ્હી ખાતે ભેગા થયા છે. . મોરબી માં પણ ઈમરજન્સી સેવાને બાદ કરતા મોરબી ની તમામ હોસ્પિટલો સવારે ૮થી બપોરે ૨ વાગ્યા સુધી આ વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે બંધ રાખી ને .100 થી વધુ ડોક્ટરો એ સરદાર બાગ સામે ધારણા પર બેસી ને વિરોધ પ્રદર્શન કર્યું હતું

- text

આઈએમએની માંગણીનાં મુખ્ય મુદ્દાઓ મેડિકલ અને કારકુનની ભૂલના પગલે ફોજદારી કાર્યવાહી, કન્જ્યુંમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડોક્ટરો દ્વારા ચુકવા પડતા વળતરની મહત્તમ મર્યાદા રાખવાનું, દર્દીઓની સારવાર અને પ્રિસ્કીપ્સન પર સ્વાયતતા, ડોક્ટર અને કર્મચારી પર હુમલાના કિસ્સામાં કડક કેન્દ્રીય કાયદો, એમબીબીએસ ગ્રેજ્યુએટને વિશેષાધિકાર, એક દવા – એક કંપની – એક કિંમત, આંતર મંત્રીય કમિટીની ભલામણોને છ અઠવાડિયામાં મંજુરી, વિવિધ પરમિશન માટે સિંગલ વિન્ડો વ્યવસ્થા, નેક્સ્ટને બદલે એમબીબીએસની સમગ્ર દેશમાં એક સરખી પરીક્ષા, તબીબી શિક્ષકોને નોકરી માટે ભારતભરમાં એક સરખા ધારાધોરણનો અમલ, સરકારની હેલ્થ કમિટીમાં આઈએમએનાં સભ્યોને સ્થાન, ૨૦ હજાર ફેમિલી ફીજીશીયન પીજી સીટોની ફાળવણી, દરેક પ્રકારની તબીબી સારવાર માટે જીડીપીનાં ૫ ટકા હેલ્થ બજેટ માટે ફાળવવા સહિતની નાનીમોટી માંગણીઓ હોવાનું મોરબી આઈએમએનાં પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, મંત્રી ડો. અંજનાબેન ગઢીયા અને ડો. જયેશભાઈ સનારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- text