મોરબીના યુવા ઉદ્યોગપતિની રાજકોટ નાગરિક બેંકમાં કો.ઓપ્ટ ડિરેકટર તરીકે નિમણુંક

- text


મોરબીન : મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને યુવા ભાજપ અગ્રણી પ્રખર હર્ષિતભાઇ પ્રહલાદભાઈ કાવરની રાજકોટ નાગરિક બેંકના કો. ઓપ્ટ. ડિરેક્ટર તરીખે નિમણૂક કરવામાં આવતા ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text

મોરબીના યુવા ઉદ્યોગપતિ હર્ષિતભાઈ બાલ્ય કાળથી જ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના સ્વયંસેવક છે તથા ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના કાર્યકારી સભ્ય અને મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રભારી છે. સાથે જ તેઓ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સિદસરના યુવા સંગઠનના અધ્યક્ષ તથા યુવા ટ્રસ્ટી છે. ઉપરાંત વિવિધ સંસ્થા સાથે જોડાઇ અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ હંમેશા આગળ હોઇ છે આજે હર્ષિતભાઇની રાજકોટ નાગરિક બેંકના કો – ઓપ્ટ ડિરેકટર તરીકે નિમણુંક થતા સ્નેહીજનો તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text