- text
મોરબી : મોરબી સ્ટેટ GST કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જી. જાડેજા (બી.જી. જાડેજા) વય નિવૃત્ત થતાં હોય તેઓને કચેરીના સાથી કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
મોરબી સ્ટેટ જીએસટી કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જાડેજા 31 ઓગસ્ટ 2023ના નિવૃત્ત થતાં હોય વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી. ઉપાધ્યાય અને ઈ.ડી. અજાગિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ભરતસિંહ જાડેજાના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. અને સૌએ ભરતસિંહ જાડેજાને નિવૃત્તકાળ દરમિયાન તંદુરસ્ત જીવન જીવો તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન મહિપાલસિંહ જાડેજાએ કર્યું હતું.
- text
- text