- text
નવલખી રોડ ઉપર આવેલ અમી પેલેસ બિલ્ડીંગનો બનાવ
મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર અમી પેલેસમાં રહેતા નેપાળી યુવાને માનસિક તણાવમાં અગાઉ ગળેફાંસો ખાઈ લેવા પ્રયાસ કર્યા બાદ ગઈકાલે વહેલી સવારે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર અમી પેલેસ બિલ્ડિંગમાં રહેતા દલબહાદુર ઢોલે પરિયાર ઉ.41નામના યુવાને વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કૂદકો મારી લેતા મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકના પત્ની સુનિતાબેન દલબહાદુરે પોલીસને જણાવ્યું હતું કે મૃતક દલબહાદુર માનસિક તણાવમાં રહેતા હોય અગાઉ પણ બાથરૂમમાં ગળેફાંસો ખાઈ લેવા પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text