મોરબીના પરશુરામ ધામ ખાતે 5 જુલાઈએ રાત્રિ જાગરણનું આયોજન

- text


મોરબી : મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ 5 જુલાઈ ને બુધવારના રોજ નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે બ્રાહ્મણ સમાજની બહેન દીકરીઓ માટે જયા પાર્વતીના વ્રત નિમિત્તે રાત્રિ જાગરણ માટેનો કાર્યક્રમ યોજાશે.

5 જુલાઈ ને બુધવારના રોજ રાત્રે જાગરણના આયોજન નિમિત્તે દાંડીયારાસ, ફરાળી નાસ્તો સહિતનું આયોજન બ્રાહ્મણ સમાજની બહેન દીકરીઓ અને પરિવારો માટે કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજની બહેન દીકરીઓને સહ પરિવાર જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text