કાંતિલાલ ક્યારેય કોઈ ને હેરાન ના થવા દે : જેરામભાઈ કુંડારિયાનો વિડીયો વાયરલ

- text


મોરબી : રાજકોટના બિલ્ડર જેરામભાઈ કુંડારિયા આપઘાત પ્રયાસમાં બાદ કેટલીક ચેનલો અને સોશિયલ મીડિયામાં ખુદ જેરામભાઈ કુંડારિયાના આપઘાતના પ્રયાસ માટે મોરબીના લોકલાડીલા ધારાસભ્ય અંગે નામ ઉછાળવામાં આવ્યું હતું. આ મામલે આજે ખુદ જેરામભાઈએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી સ્પષ્ટતા કરી હતી કે, કાંતિભાઈ ક્યારેય કોઈને હેરાન ન થવા દે.

રાજકોટના બિલ્ડર જેરામભાઈ કુંડારીયા આપઘાત પ્રયાસમાં આજે ખુદ જેરામભાઈ કુંડારિયાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે કેટલી સ્પષ્ટતા કરી છે.જેરામભાઈએ વીડિયોમાં કહ્યું કે, ”સોશિયલ મીડિયામાં જે પ્રકારે જેરામભાઈ અને કાંતિભાઈ વિષે વાતો આવી રહી છે તે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે મારે કોઈ ફરિયાદ નથી.તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી વાત થઈ રહી છે તે તદ્દન ખોટી વાત છે. કાંતિભાઈ ક્યારે કોઈ ને હેરાન ના થવા દે, હંમેશા મદદ કરે છે. જે મને ખુદને અનુભવ છે. આતો કાંતીભાઈને રાજ્યકીય નુકશાન પહોંચે અને મારા અને કાંતીભાઈના સંબંધને નુકશાન ના પહોંચે તેવું હું ઇચ્છિ રહ્યો છું.”

- text

રાજકોટના કૃતિ ઓનેલાના બિલ્ડર જેરામભાઈ કુંડારીયાના આપઘાતના પ્રયાસ બાદ 3 પાનાની સ્યુસાઈડ નોટ વાયરલ થઈ હતી. જેમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા સામે આક્ષેપો કરવામા આવ્યા હતા. ત્યારબાદ આજે જેરામભાઈ કુંડારીયાએ વીડિયો જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે જે વાયરલ થઈ રહી છે એવું કંઈ પણ હકીકતમાં નથી.

- text