- text
મોરબીના મકનસર ગામે સીતારામનગરમાં બનેલો બનાવ
મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ નામની પરિણીતાને તેમના બહેનના ઘેર આંટો દેવા જવાની પતિ દિલીપભાઈ કનુભાઈ ચૌહાણે ના પાડતા પરિણીતાને લાગી આવતા એસિડ પી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text