મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા 15મીએ વિશ્વયુગ યજ્ઞ

- text


મોરબી: મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આગામી મંગળવારે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાથી હજુ સમગ્ર મોરબી શોકાતુર છે. હજુ પણ મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં મૃતાત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 15 નવેમ્બર ને મંગળવારના રોજ સવારે 8 થી બપોરે 3 કલાક સુધી નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં તમામ ભક્તજનો દ્વારા આહુતિ અર્પણ કરી મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે.

- text

- text