ધનતેરસે ગૌ માતાના લાભાર્થે ખરેડા ગામે નાટક અને કોમિક ભજવવામાં આવશે

- text


મોરબી : નકલંક ગૌ સેવા મંડળ દ્વારા નિરાધાર ગૌમાતાના લાભાર્થે ખરેડા ગામે નાટક અને કોમિક ભજવવાનું આયોજન આગામી તારીખ 22 ઓક્ટોબર, શનિવારને ધનતેરસના રોજ કરવામાં આવ્યું છે.

આગામી તા. 22 ઓક્ટોબરે રાત્રે 9:30 કલાકે ખરેડા ગામમાં આવેલી કન્યા શાળા ખાતે મહાન ઐતિહાસિક નાટક કચ્છનો વીર અબડોજામ અને સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક માવલાની મોકાણ રજૂ કરવામાં આવશે. પૂજ્ય ભગત બાપાની 54મી પુણ્યતિથિ નિમિત્તે આ નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું હોય આ કાર્યમાં સહભાગી થવા સૌ કોઈને આમંત્રણ પઠાવવામાં આવ્યું છે.

- text

- text