હળવદમાં 26મીએ રક્તદાન કેમ્પનું આયોજન

- text


સુભાષચંદ્ર બોઝની પુણ્ય સ્મૃતિ નિમિતે કેમ્પ યોજાશે

હળવદ : હળવદની વિવિધ સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.26ના રોજ સુભાષચંદ્ર બોઝની પુણ્ય સ્મૃતિ નિમિતે કેમ્પ યોજાશે. કેમ્પમાં એકત્રિત થનાર રક્ત સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે.આ કેમ્પમાં જોડાવા અગાઉથી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

દેશ ને આઝાદી અપવામાં અનેક ક્રાંતિકારી પ્રવૃતિઓ કરી પોતાના પ્રાણની આહુતિ આપી હતી.તેવા ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ કે જેમનો નારો હતો ” તુમ મુજે ખુન દો મેં તુમ્હે આઝાદી દૂંગા” અને આઝાદ હિન્દ ફોઝની સ્થાપના કરી હતી અને દેશને ગુલામીની ઝંઝીરો માંથી આઝાદી અપાવવા માટે પોતાનું સંપૂર્ણ જીવન માં ભારતીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. ત્યારે આપણા ક્રાંતિકારીને યાદ કરવા તેમની યાદમાં સત્કાર્યો કરવા તે દરેક દેશવાસીઓની નૈતિક ફરજ છે.

- text

હળવદ યુવા ભાજપ,પાટિયા ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે આગામી તા.26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધી રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે.આ કેમ્પમાં જેટલું રક્ત એકત્ર થશે તે સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે લોહીની જરૂર છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.બ્લડ ડોનેશન કેમ્પમાં હળવદ તાલુકાની જનતાને સ્વૈચ્છીક રીતે રક્તદાન કરવા માટે આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.આ કેમ્પમાં જોડાવા અગાઉથી રજીસ્ટ્રેશન કરવા માટે 9712176550, 9374228537,8000848444 પર સંપર્ક કરવો.

- text