- text
વાંકાનેર : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા.૨૧ના રોજ મોહમદીલોકશાળા,ચંદ્રપુર,વાંકાનેર ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આભરતી મેળામાં વાંકાનેરના એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન શ્રી શકીલ અહેમદ પીરજાદા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.
આ ભરતી મેળામાં ૧૬૮ જેટલા રોજગારવાછુક ઉમેદવારોએ હાજરી આપી હતી અને ૭ જેટલા ઓધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગીની કાર્યવાહી સંભાળેલ હતી,અને ૧૨૧ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
ભરતી મેળાની સાથો સાથે રોજગાર વિનિમય કચેરી ખાતે, લઘુમતી સમાજના રોજગારવાછુક ઉમેદવારો નામ નોધણી કરવી શકે તે માટે “નામ નોધણી” કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં ૬૦ જેટલા ઉમેદવારોએ નામ નોધણી કરાવી છે..ભરતીમેળામાં,શાળાનાં આચાર્યશ્રી માથાકીય, કેરિયર કોર્નર શિક્ષકશ્રી,અને અધિકારીશ્રી તથા સ્ટાફ ઓધોગિક ભરતીમાં ઉપસ્થિત રહીને સુંદર કામગીરી કરેલ તેમ રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text