મોરબીમાં પાંચ વર્ષ પૂર્વે ગુમ થયેલ સગીરાને શોધી કાઢી અપહરણ કરનારને ઝડપી લેવાયો

- text


મોરબી : મોરબી તાલુકામાંથી પાંચ વર્ષ પૂર્વે ગમ થયેલ સગીરાને એસઓજી સ્ટાફે બહાદુરગઢ ગામની સીમમાંથી શોધી કાઢી અપહરણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સૂચના મુજબ જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ.એસ.એન.સાટી માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.હેડ કોન્સ. ફારૂકભાઇ પટેલ તથા પો.કોન્સ.ધર્મેન્દ્રભાઇ વાધડીયાને મળેલ ખાનગીરાહે મળેલ હકિકત આધારે એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.કોન્સ.નરેન્દ્રભાઇ જાડેજા સાથે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ અવધ માઇક્રો કલે નામના કારખાનામાં તપાસ કરતા મોરબી તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૩/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ તથા એટ્રોસીટી ૩(૨)૫ ના કામે નાસતો ફરતો ઘનશ્યામ ઉર્ફે નિલેશ જાદવજીભાઇ સીહોરા જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો લોડર ડ્રાઇવીંગ રહે.રામગઢ તા.ધાગંધ્રા જી.સુરેન્દ્રનગર રહે.હાલ બહાદુરગઢ ગામની સીમ અવધ કારખાના તા.મોરબી વાળો મળી આવતા Cr.P.૮ કલમ ૪૧(૧)આઇ મુજબ તા.૧૦/૧૧/ર૦૧૮ ના રોજ ધોરણસર અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપી આપ્યો હતો. સાથે સાથે સગીરા યુવતીને તેમના વાલી વારસને સોંપવામાં આવી હતી. એસઓજીની આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ.અનિલભાઇ ભટ્ટ તથા પો.હેડકોન્સ.ફારૂકભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા સાહિતનાઓએ કરી હતી.

- text

- text