મોરબીમાં મકરસંક્રાંતિએ બે યુવાનનો ભોગ લીધો : 20થી વધુ ઘાયલ

- text


પતંગ ઉતારવા જતા વીજ શોક લાગતા એક યુવાનનું અને બીજાનું અગાસી ઉપરથી પટકાતા મોત : ૨૦ થી વધુ લોકો દોરથી ઘાયલ

મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિએ અલગ અલગ બે ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા જેમાં એક કિશોર તારમાં ફસાયેલ પતંગ કાઢવા જતા વીજ શોક લાગવાથી તો બીજા યુવાનનું અગાસી પરથી પટકાતા મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતો વિગતો મુજબ મકરસંક્રાંતિએ મોરબીની મોચી શેરીમાં રહેતા ભરતભાઇ બાબુભાઇ મકવાણા, ઉ.૪૮ અગાશી ઉપરથી પટકાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

- text

જ્યારે બીજા બનાવમાં જોડિયા તાલુકાના ભીમકટા ગમે રહેતા યશ નવલભાઈ મનાણી ઉ.૧૪ નામનો કિશોર ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલ પતંગ કાઢવા જતા વીજ શોક લાગતા ગંભીર હાલતમાં મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નિવડાતા મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત મોરબીમાં ઉત્તરાયણ પર્વે પતંગ દોરીથી ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text